રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જંગલેશ્વર નદીના વિસ્તારમાં ચુસ્તપણે નિરીક્ષણ

રાજકોટ ,

રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આજ-રોજ જંગલેશ્વર નદી વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફરજ બજાવી રહેલ પોલીસ અધિકારી અને જવાનો ને લોકડાઉનનો સખત અમલ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. થોડા દિવસો પહેલા નદી વિસ્તારમાંથી શ્રમિકોએ ભાગવાની કોશિશ કરી હતી. પરપ્રાંતિય મજુરો તેમજ જંગલેશ્વર વિસ્તારના લોકો પણ નદીના કિનારે આવેલ શંકાસ્પદ રીતે કોઈ પણ સંજોગોમાં એકઠા ન થાય તે માટે પણ તમને જરૂરી સુચના આપી હતી.

તેમજ પોલીસ કમિશનર દુરબીન દ્વારા પોતે જ ચકાસણી કરવામાં આવેલ હતી. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment